25/06/2020 થી યોજાનાર પરીક્ષા મોકૂફ રાખવા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનીવર્સીટીના કુલપતિશ્રીને એબીવીપી ટીમ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

ABVP BHAVNAGAR શાખા દ્વારા આજરોજ ભાવનગર યુનિવર્સિટી  ના કુલપતિ ને રૂબરૂ મળીએ ને આવેદનપત્ર આપવામાં 25/06/2020 થી શરૂ થનારી તમામ પરીક્ષાઓ હાલ મોકૂફ રાખવામાં આવે તેવી રજૂઆત  કરવામાં આવી હતી.
હાલ કુલપતિશ્રી દ્વારા પરિક્ષા મોકૂફ રાખવામાં આવી સાંજ સુધીમાં સતાવાર પરિપત્ર થશે...

 'અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ - ABVP' ૧૯૪૯ થી વિદ્યાર્થી હિત માટે સતત લડતું રહ્યું છે વિદ્યાર્થી ના પ્રશ્નો અંગે સતત જાગૃત રહી અને વિદ્યાર્થીના પ્રશ્નોને વાચા આપતું રહ્યું છે.

અત્યારના સમયમાં સૌ જાણીએ છીએ કે હાલ કોરોના મહામારી નો સામનો સમગ્ર વિશ્વ કરી રહ્યું છે આવા સમયમાં ભાવનગર શહેરમાં પણ કોરોના પોઝિટિવ કેસો માં સતત વધારો જોવા મળી રહ્યો છે તો આ એક ચિંતાજનક બાબત છે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી UG /PG ની પરીક્ષા આવનારી તારીખ 25/06/2020 થી શરૂ થવા જઈ રહી છે હાલ આ સ્થિતિમાં પરીક્ષા યોજવી એ હિતાવહ નથી. તેમજ 'અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભાવનગર શાખા' દ્વારા જે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો  છે તેમાં પણ વાલીઓના તથા વિદ્યાર્થીઓને સતત ફોન આવી રહ્યા છે વાલીઓમાં પણ એક ચિંતાનો માહોલ છે હાલ જો આ સ્થિતિમાં પરીક્ષા યોજવામાં આવે તો કોરોના સંક્રમણ વધવાની શક્યતા વધુ છે જેથી કરી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભાવનગર શાખાના સભ્યો દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી માંગ કરી હતી કે તારીખ 25/06/2020 થી શરૂ થનારી આ  તમામ પરીક્ષાઓ હાલ મોકૂફ રાખી સ્થિતિ યોગ્ય જણાયા બાદ નવી તારીખો જાહેર કરવામાં આવે તેવી માંગ કરી હતી.


Contact Us